મારાં અવતરણો [my slogan]
*લાંબી યાત્રામાં
સહયાત્રી વાચાળું હોય તો આશીર્વાદ રૂપ.
*વાતે વાતે વિચાર
બદલનારનો વિશ્વાસ કરવો નહિ.
*થોડો સમય આપીને ઘણું
સોનું ખરીદી શકાતું હોય તો એ આપવો.
*મધમાખીઓના ઝુન્ડની જેમ સમૂહમાં રહેતાં શીખો.
*કાયર માણસમાં ઘણા અવગુણ
હોય છે,માટે એનો સાથ લેવો નહિ.
*કોઇપણ વસ્તુનું એટલું
વળગણ ન રાખવું કે જિંદગીના દરેક મોડ પર આપણને સાલે.
*કાયાને સાચવશો તો દુનિયા
સચવાઈ જાશે.
*તોપના માલિક સામે પોતાની
નાનકડી લાકડીથી લડી લેવું એનું નામ વટ.
*માણસની સાચી ઓળખ એનો
પહેરવેશ ,ભાષા કે દેખાવ નથી પણ એના વિચાર અને વર્તન છે.
*વિચાર અને વર્તનમાં રાત
દિવસનો તફાવત હોય એવા માણસ સાથે કોઈ વેવાર કરવો નહિ.
*ર્રસ્તા પર કોઈ પણ વાહન
ચાલક ભૂલ કરે છે ત્યારે કેટલીય સ્ત્રીઓની સાડીઓનો રંગ બદલાઈ જાય છે.
*કોઇપણ મુદા પર વ્યક્તિ
વિચારવાનું બંધ કરે એટલે એ આત્મહત્યા કરે છે.
*આજની સફળતા એ ગઈકાલનો
વિચાર છે.
*પોતે વાવેલાં વ્રુક્ષોના ફળ ખાવાં એ ‘ભારત રત્ન’ મેળવવા જેટલો આનંદ છે.
લેખન:કાંતિલાલ
રૂપાભાઈ પરમાર
હરીપુરા
લખ્યા
તા.૧૪/૦૮/૨૦૧૯


Comments
Post a Comment