નવીન પાઠ્યપુસ્તક પર્યાવરણ
તાલીમ
આ સમગ્ર સંસારમાં માણસને રહેવા લાયક જગ્યા એક માત્ર પૃથ્વી
છે. એને જાળવવી હોયતો બાળકોને પર્યાવરણ શિક્ષણ આપવું અતિ જરૂરી છે.પર્યાવરણ એટલે
શું ? સર્વ સ્વીકૃત વ્યાખ્યા આપણી આસપાસ નું વાતાવરણ . આપણી
આસપાસમાં શું આવે? હવા,પાણી ,વૃક્ષ ,માનવ,જમીન, અવકાશ,જીવ-જંતુ ( ધોરણ 3 માં આપણે બધા પ્રકારના પ્રાણીઓને જીવ-જંતુ
કહેવાના છે.)
આપણે સૌ શિક્ષક
મિત્રો જાણીએ છીએ કે આ માહિતીના યુગમાં આપણી પાસે દરેક વિષયની ભરપૂર માહિતી હોય છે
એમાથી આપણે નક્કી કરવાની કે કેટલી માહિતી બાળકને એના લેવલ પ્રમાણે આપવાની છે.એ વાત
પણ જરૂરી છે કે બધી જ માહિતી આપવા કરતાં
માહિતી ક્યાથી માહિતી ક્યાં થી મળશે એ વાત ની બાળકને ખ્યાલ હોય તો ઘણું સારું.
આમ જોવા જઇ એ તો પર્યાવરણ ની સાચી અને સારી સમાજ આપવી હોય તો બાળકને
વર્ગની બહારની દુનિયામાં લઈ જવો અતિ જરૂરી છે.પર્યાવરણ એ અવલોકન, અનુભૂતિ
,સંવેદના ના આધારે તકેલો છે, આ ત્રણ બાબત
દ્રઢ થાય એટલે એના માં વલણ કેળવાય. બાલમાનસ નું યોગ્ય વલણ એજ આપનો પૃથ્વી બચાવવાનો
ધ્યેય.
કેવી રીતે બચાવસુ પર્યાવરણ:
1.બાળક સવારે સ્નાન કરવા જાય અને બાથરૂમ માં જરૂર પૂરતું જ પાણી
વાપરે ..
2. આપણે પાણી બચાવવાની વાતો કરતાં હોય એ અને જ્યારે આપણાથી ભૂલ થાય ત્યારેએ બાળકોએ ભૂલ સુધારી આપે. દા.ત. સવારે દાઢી કરતાં
હોય એ અને વોશ બેસિન નો નળ સતત ચાલુ હોય,બાળક એ નળ બંધ કરે અને કહે કે પાણી નો બગાડ ન
કરાય.
3.રિશેષ માં કે હરતાં –ફરતાં બગીચાને નુકસાન
ન કરે અને એની જાળવણી કરે.
4.ઘર આગણા કે એને જોવા મળતાં પ્રાણીઓને નુકસાન ન પહોચાડે.
5.સ્વચ્છતાને પ્રાધાન્ય આપે.
........ચલતે રહેણાં હે....
લેખન: કાંતિલાલ
રૂપાભાઈ પરમાર
લખ્યા તા.18/03/2018



Comments
Post a Comment