કેમ છો , મિત્રો... બ્લોગના માધ્યમથી ફરી આપ સૌ ને નમસ્કાર.
        લોકભોગ્ય વિચારોની વાત આજકાલ આપણે બધા કરી રહ્યા છીએ. વિચારો દરેકને આવતા હોય છે , સતત  આવતા રહેતા હોય છે. આપણે આવતા વિચારો આપના વર્તન માટે સૌથી વધુ જવાબદાર હોય છે. જેવા વિચારો એવું વર્તન....જે બાબતનો તમે ક્યારેય વિચારા જ નથી ક્કરયો એવું વર્તન આપ ક્યારેય કરી જ ના શકો.
        ૧૯૮૭ ના વર્ષમાં હરિસિંહજી ચાવડા સાહેબે લોકનિકેતન રતનપુર માં ગાંધી મેળો રાખેલો.અમે બધા લોકનિકેતનમાં અભ્યાસ કરનારા  એક જગ્યાએ ભેગા થયેલા. મારા માટે રતનપુર આવવાનો આ બીજો પ્રસંગ હતો , પ્રથમ વખત હું ધોરણ ૮ ના પ્રવેશ માટે આવેલો . લોકનિકેતનની દિવાલો સુવાક્યોથી સુશોભિત થયેલી ... જોઈ. જેમાનાં   કેટલાક   સુવાક્યો આજે પણ દિલ પર કોતરાયેલાં પડ્યાં છે.
         મને ગમેના  યુધ્ધને આંધી , મને ગમે છે  બુધ્ધને ગાંધી.
        જેવા  વિચારો કરો , એવા તમે થવાના દિલના વિચારો નક્કી જીવન બની
જવાના...................
              By .. કાંતિલાલ રૂપાભાઈ પરમાર

Comments